અમદાવાદમાં 27 જુને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફૂટ પેટ્રોલિંગ કરી સમીક્ષા કરી હતી.હર્ષ સંઘવીએ કહ્યું કે, અમદાવાદમાં 148મી રથયાત્રામાં સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પોલીસ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

