Home / India : Will Ajit Pawar and Sharad Pawar unite in Maharashtra?

મહારાષ્ટ્રમાં અજિત પવાર અને શરદ પવાર એક થશે? બેઠક બોલાવતા રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રમાં અજિત પવાર અને શરદ પવાર એક થશે? બેઠક બોલાવતા રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાલ NCP અને NCP-SPના વિલીનીકરણની ચર્ચાએ જોર પકડી રહી છે. NCP પ્રમુખ અજિત પવાર અને NCP-SP વડા શરદ પવાર ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા બાદ આ ચર્ચા શરૂ થઈ છે. દરમિયાન, NCP-SP ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે બુધવારે (14 મે) પાર્ટીની રાજ્ય કારોબારીની બેઠક બોલાવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનસીપીના કેટલાક નેતાઓ અને સાંસદો ઇચ્છી રહ્યા છે કે અજિત પવારને પણ સાથે લેવામાં આવે કારણ કે તેઓ પહેલેથી જ સરકારમાં છે અને અત્યાર સુધી તેમણે NCP-SP નેતાઓને પણ સકારાત્મક રહીને ખૂબ મદદ કરી છે. આનાથી એવી અટકળો વધુ વેગવાન બની કે આજની બેઠકમાં જયંત પાટિલ શું ભૂમિકા ભજવે છે. જયંત પાટિલ પાર્ટી રાજ્ય કારોબારી બેઠકમાં શું માર્ગદર્શન આપે છે તેના પર બધાની નજર ટકેલી છે.

અંતિમ નિર્ણય સુપ્રિયા સુલેનો રહેશે - શરદ પવાર

શરદ પવાર અને અજિત પવારને કેટલાક જાહેર કાર્યક્રમો દરમિયાન ઘણી વખત સ્ટેજ શેર કરતા જોવા મળ્યા છે. શરદ પવારે NCPના બંને જૂથોના પુનઃમિલન અંગે નિવેદન આપ્યા બાદ રાજકીય ચર્ચાઓએ એક નવી તુલ પકડી. શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે 'જો બંને NCP પક્ષો સાથે આવે તો કોઈ આશ્ચર્યની વાત નહીં હોય.' પરંતુ અંતિમ નિર્ણય સુપ્રિયા સુલે લેશે."

રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખે પણ બે રાષ્ટ્રવાદી પક્ષોના એકસાથે આવવાની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી હતી.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આ વિલીનીકરણ થશે તો તે માત્ર NCP માટે જ નહીં પરંતુ મહારાષ્ટ્રના રાજકારણ માટે પણ એક મોટો વળાંક હશે. આ મહાવિકાસઆઘાડી (MVA) અને ભાજપની રણનીતિને પણ અસર કરી શકે છે. હવે બધાની નજર જયંત પાટીલના નેતૃત્વમાં યોજાનારી આ બેઠક પર ટકેલી છે. આ બેઠકમાં પાટિલ ક્યા મુદ્દાઓ રજૂ કરે છે અને પાર્ટીને કઈ દિશામાં લઈ જવાના સંકેત આપે છે તેના ઉપર સૌની નજર ચોંટેલી છે.

Related News

Icon