જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ આખો દેશ આઘાતમાં છે. પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 28 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો પહલગામની બૈસારન ઘાટીમાં કરવામાં આવ્યો, જેમાં આતંકવાદીઓએ લોકોને ટાર્ગેટ બનાવ્યા.

