રાજકોટ જિલ્લામાં ગોંડલમાં આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનની મિટિંગ મામલે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખિયાનું નિવેદન સામે આવ્યું છે. ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવિધ મુદ્દાઓ વચ્ચે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો છે. એવામાં પાટીદાર આગેવાન રાજુ સખિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે, આ સમાધાન મિટિંગમાં ક્યાંય પણ જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે પછીથી કોઈ પાટીદાર દીકરા પર અન્યાય થાય તો સાખી નહી લેવાય એવી ક્યાંય વાત નહી.

