સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો હતો. જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠનો મામલો ખુદ પ્રાંત અધિકારીએ સ્ટીંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો છે. રસ્તા પર દોડતા ખનિજથી ભરેલા ડમ્પરો પોલીસ જ કઢાવતી હોવાનો ભાંડો ખુદ પ્રાંત અધિકારીએ ફોડ્યો છે.

