AMRELI NEWS: કથિત લેટર કાંડ મામલે હવે કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને ખોડલ ધામના નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે પટેલ સમાજની દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવાના આરોપ મામલે 4 આરોપીમાં એક યુવતીનો સમાવેશ છે.

