ખેડા-નડિયાદ - નડિયાદ નગરપાલિકામાં વર્ષ ૨૦૧૪માં ૨૬ કર્મચારીઓની વિવિધ પદો પર ફિક્સ પગાર ધોરણથી ભરતી કરાઈ હતી. આ કર્મચારીઓની ભરતી બોગસ હોવાનો દાવો થયો અને તે મામલે મ્યુનિસિપાલ એડમિનિસ્ટ્રેશન કચેરીના નાયબ નિયામકે આ ભરતી રદ્દ કરતો ઓર્ડર ૨૦૧૮માં કર્યો. આ બાદ ભરતી રદ્દ કરવાને બદલે ૨૦૧૯માં તત્કાલિન પ્રમુખે જનરલ બોર્ડમાં પ્રમુખ સ્થાનેથી આ કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ મંજૂર કર્યો.

