સુરતની લાજપોર જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટે 5 દિવસના કામચલાઉ જામીન આપ્યા છે. રાજસ્થાનના જોધપુરની જેલમાં કેદ પિતા આસારામની તબિયત નાદુરસ્ત હોવાથી નારાયણ સાઈએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે નારાયણ સાઈની પાંચ દિવસના કામચલાઉ જામીનની માગ કરતી અરજી મંજૂર કરી છે.

