Bhavnagar news: ભાવનગર-ધોલેરા હાઈવે પર આજે સાંઢીડા નજીક આજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતોનો હબ ગણાતા ભાવનગર-ધોલેરા હાઈવે ઉપર આજે એક આવો જ ભીષણ અકસ્માત થયો હતો. જે બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108ની ટીમે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

