Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગત રોજ એરપોર્ટથી લંડન જતા વિમાને ટેક્ ઑફ કર્યાને થોડીક સેકંડોમાં જ તૂટી પડયું હતું. જેમાં પ્લેનમાં સવાર 241 પ્રવાસીઓ જીવતા ભડથું થઈ હતા. આમાં ભાવનગર જિલ્લાના સોસિયા ગામના ભાવિ તબીબ રાકેશ દિહોરા નામના 25 વર્ષીય યુવકનું પણ મોત થયું હતું. આ યુવક લંડનમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. યુવકના મૃતદેહને વતન લવાતા આખા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી, તળાજા ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓની હાજરીમાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

