Operation Sindoor : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.26.નાં સંભવિત કચ્છના પ્રવાસ દરમિયાન ભૂજ ખાતે એક લાખ જેટલી માનવમેદની સંબોધન કરે તેવી શક્યતા વચ્ચે વહીવટી તંત્રમાં તૈયારીનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ જિલ્લાના પ્રવાસમાં સૈન્યમથકોની મુલાકાત લઈને જવાનોમાં જુસ્સાનો ઉમેરો કરવાની સાથે વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

