
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (એલટીસીજી)ના દરમાં ઘટાડો થવાથી મોટી સંખ્યામાં કરદાતાઓને પર્યાપ્ત કર બચત થવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે બજેટમાં લાંબા ગાળા માટે રાખવામાં આવેલી હાઉસિંગ પ્રોપર્ટીના વેચાણથી મળનારા કેપિટલ ગેઈન પર ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ કરદાતાઓને મળતો 'ઇન્ડેક્સેશન' લાભ હટાવી દેવામાં આવ્યો છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઇન્ડેક્સેશન લાભ સાથે 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે.
જો ઇન્ડેક્સેશન લાભ દૂર કરવામાં આવે તો શું થશે?
ઈન્ડેક્સેશન બેનિફિટ દૂર કરવાનો અર્થ એ છે કે જ્યારે તમે તમારી કોઈપણ પ્રોપર્ટી વેચો છો, ત્યારે તમે તમારા કેપિટલ ગેઈન ટેક્સને એડજસ્ટ કરવા માટે ફુગાવાનો દાવો કરી શકશો નહીં.
આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, "સામાન્ય રીતે રિયલ એસ્ટેટનું સામાન્ય વળતર વાર્ષિક 12-16 ટકા જેટલું છે, જે ફુગાવા કરતાં ઘણું વધારે છે."
ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઇન્ડેક્સેશન ચારથી પાંચ ટકાની આસપાસ છે અને તે સંપતિ ખરીદીને કેટલો સમય પોતાની પાસે રાખી છે તેના પર નિર્ભર છે. આથઈ કરદાતાઓમાંથી મોટાભાગનાઓને પર્યાપ્ત ટેક્સ બચતની આશા છે.
અચલ સંપત્તિના સમયગાળાના આધાર પર ફાયદાની સરખામણી કરતા આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, ઇન્ડેક્સેશન વિનાના નવા દરો મોોટા ભાગના માલાઓમાં ફાયદેમંદ છે.
નવી વ્યવસ્થામાં કોને થશે ફાયદો?
પાંચ વર્ષ માટે રાખવામાં આવેલી પ્રોપર્ટી માટે, જ્યારે પ્રોપર્ટીની કિંમતમાં 1.7 ગણો કે તેથી વધુ વધારો થયો હોય ત્યારે નવી વ્યવસ્થા ફાયદાકારક રહેશે, જ્યારે 10 વર્ષ માટે રાખવામાં આવેલી પ્રોપર્ટી માટે, જો કિંમત 2.4 ગણી કે તેથી વધુ વધી હોય તો તે ફાયદાકારક રહેશે. "2009-10માં ખરીદેલી પ્રોપર્ટી માટે, જો કિંમત 4.9 ગણી કે તેથી વધુ વધે તો તે ફાયદાકારક રહેશે."
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, “આ ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે જ્યાં રીટર્ન ઓછું છે, (લગભગ 9-11)થી ઓછું) ત્યાં પહેલાનો જૂનો રેટ ફાયદાકારક છે. પરંતુ રિયલ એસ્ટેટમે આટલું ઓછું રીટર્ન મેળવવું મુ્શકેલ છે અથવા તો દુર્લભ છે."
2001 પહેલા ખરીદેલી અથવા વારસામાં મળેલી મિલકત પર લાભ ચાલુ રહે છે
અમે તમને જણાવી દઈએ કે બજેટ 2024-25 મુજબ, સરકારે 2001 પહેલા ખરીદેલી અથવા વારસામાં મળેલી મિલકત પર કરદાતાઓ માટે 'ઇન્ડેક્સેશન' લાભ જાળવી રાખ્યો છે. ટેક્સના દરોમાં ફેરફાર 23 જુલાઈ, 2024થી અમલી બન્યો છે.
બજેટમાં શું બદલાવ આવ્યો?
તમને જણાવી દઈએ કે મંગળવારે સામાન્ય બજેટમાં સરકારે સ્થાયી સંપત્તિ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (એલટીસીજી) ટેક્સ 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને મોંઘવારી ગોઠવણ (ઇન્ડેક્સેશન) સંબંધિત લાભને દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઇન્ડેક્સેશન બેનિફિટ દૂર કરવાને કારણે વિક્રેતાઓને નુકસાન થશે
નિષ્ણાતોનું કહેવું છે કે જૂની પ્રોપર્ટી વેચતી વખતે ફુગાવાના એડજસ્ટમેન્ટને ધ્યાનમાં ન લેવાથી રોકાણકારોને નુકસાન થઈ શકે છે.
ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર આરતી રાવતે જણાવ્યું હતું કે ઈન્ડેક્સેશન વિના એલટીસીજી કરદાતાઓ પર નોંધપાત્ર અસર કરશે. તેમણે કહ્યું, “…આ ફેરફાર સાથે, કરદાતાઓ હવે વાસ્તવિક કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવત પર ટેક્સ ચૂકવશે, જે નોંધપાત્ર હશે. ,
એનસી ફાયનાન્સિયલ એડવાઇઝરી સર્વિસીઝના સ્થાપક નીતિન ચૌધરીએ જણાવ્યું હતું કે, મિલકતમાં એલટીસીજી માટે ઇન્ડેક્સેશન લાભ દૂર કરવો એ કોઈપણ પૂર્વજો/વારસાની મિલકત માટે મોટો ફટકો છે.