Adani group: ગૌતમ અદાણી હવે આરોગ્યસંભાળ એટલે કે હેલ્થ કેર ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે અદાણી પરિવાર હવે દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થાને સુધારવા માટે આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે અગાઉ જાહેર કરાયેલા 60,000 કરોડના રોકાણનો મોટો હિસ્સો રોકાણ કરશે.

