ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જે પ્રસ્તાવિત ટેરિફને 20% થી નીચે લાવી શકે છે. આ ટ્રેડ ભારતને આ ક્ષેત્રના અન્ય દેશો કરતાં વ્યાપારિક રીતે ઘણી સારી સ્થિતિમાં મૂકશે. અહેવાલો અનુસાર, અમેરિકા આ અઠવાડિયે ભારતને ટેરિફ વધારાની ઔપચારિક સૂચના આપશે નહીં, જ્યારે ઘણા અન્ય દેશોને 50% સુધીના અણધાર્યા ટેરિફના પત્રો મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પ પહેલાથી જ લગભગ 20 દેશોને ટેરિફ લાદવા અંગે પત્રો મોકલી ચૂક્યા છે. જેમાં ખૂબ જ કડક ચેતવણીઓ અને ધમકીઓ પણ આપી છે. જો કે ભારતને આવો કોઈ પત્ર મોકલવાનો ઈરાદો નથી. તેનું કારણ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો છે.

