છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું છેવાડાના કેલધરામાં 2500 ની વસ્તી છે. ગામમાં પાણીની ટાંકી છે. નર્મદામાંથી પાણી લઈને હાંફેશ્વર પાણીપુરવઠા યોજનામાં પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે. હાંફેશ્વર પાણી પુરવઠાનું પાણી દાહોદ સુધી લઈ જવામાં આવ્યું છે. પરંતુ આ ગામને પાણી નથી મળતું. ગામમાં 100 જેટલા પાણીના બોર અલગ અલગ ફળિયામાં કરવામાં આવ્યા છે. તેના જળ સ્તર નીચા જતા રહેતા હાલ તમામ બોર ડચકા ખાઇ રહ્યા છે. અમુક બોર બંધ થઈ ગયા છે. નદી-કોતર સુકાઈ ગયા છે.આ ગામમાં લગ્ન પ્રસંગ નારણભાઇ રાઠવાની દીકરી ઓમનાબેન રાઠવાના લગ્ન હતા. જાન આવવાની ઘડીઓ ગણાતી હતી. તે વખતે પાણી ખૂટી જતા તંત્રને જગાડવા માટે ઢોલ અને શરણાઈ સાથે નદીના સામે કિનારે આવેલ હેન્ડ પંપ ઉપર પહોંચીને પાણીના બેડાં ભરી લાવી હતી.

