કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાને લઈ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મથકના ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તમામ હિન્દુ મુસ્લિમ સંગઠનો અને વેપારીઓ દ્વારા નસવાડી બંધનો એલાન આપતા નસવાડી મથક સજ્જડ બંધ પાળ્યો છે. સમગ્ર નસવાડી બજારના વેપારીઓ પોતાની દુકાન કાશ્મીરમાં પહેલાગામમાં આતંકવાદી હુમલાના બનાવના વિરોધમાં તમામ લારી ગલ્લાવાળા તેમજ વેપારીઓ દુકાન બંધ રાખી પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવી નસવાડી બંધને સમર્થન આપ્યું છે.

