Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક વખત વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર-ગોદાવરી ભોગાવો નદી પર આવેલા અને નવા બનેલા પુલના જોઈન્ટ છુટ્ટા પડી ગયા હતા. આ પુલ 2 વર્ષ પહેલાં જ બનાવામાં આવ્યો હતો. જેથી આ બ્રિજના નિર્માણ કામ વખતે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.

