સુરેન્દ્રનગર શહેરના મુખ્ય ચાર સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે જરૂરી લાકડાનો જથ્થો ખૂટી પડ્યો છે. આના કારણે મૃતકોના સ્વજનોને ઘરેથી લાકડા લાવવાની ફરજ પડી રહી છે. શહેરના કોઈ પણ સ્મશાનમાં હાલ લાકડાની ઉપલબ્ધતા નથી, જેના લીધે મૃતદેહો કલાકો સુધી અગ્નિસંસ્કાર વિના સ્મશાનમાં પડ્યા રહે છે.

