દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં ફસાયા હતા. રાજકોટથી દ્વારકા ખાતે દર્શન કરવા આવેલો પરિવાર સવારે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી સામે કાંઠે પહોંચ્યો હતો, પરંતુ અચાનક ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં પરિવાર ફસાઇ ગયો હતો. સ્થાનિક લોકોને આ ઘટનાની પોલીસને જાણ કરી હતી, જેથી તંત્રએ તાત્કાલિક સુદામા સેતુના દરવાજા ખોલી પાણીનું લેવલ ઓછી કરી ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

