Congress: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, દેશમાં છેલ્લા 11 વર્ષથી ભાજપનું સાશન ચાલી રહ્યું છે છતાં પણ ભાજપ લોકોનાં પૈસાથી દેશમાં કટોકટીની જાહેરાતો કરે છે. જેથી ભાજપ પોતાના શાસનની નિષ્ફ્ળતા છુપાવવા માટે આવા કાર્યક્રમો કરે છે.આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું કે, 11 વર્ષના કુશાસન હિસાબ ના આપવો પડે તે માટે આવા નાટક કરે છે.

