વિરમગામમાં ખરીફ માર્કેટિંગ સિઝન 2023/24 દરમિયાન ટેકાના ભાવે ખરીદેલી ડાંગરના રૂપિયા ખેડુતોને ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ચાર મહિના પહેલા 500થી 700 જેટલા ખેડૂતોએ પોતાની ડાંગર વિરમગામ મથકે અધિકારીઓ અને નિગમના કર્મચારીઓની હાજરીમાં ટેકાના ભાવે ડાંગર આપી હતી. પરંતુ આજ દિન સુધી ટેકાના ભાવ પ્રમાણે ખેડૂતોને પૈસાનું ચૂકવવાનું ન કરતા ખેડૂતો રોષે ભરાયા છે.

