અમદાવાદ શહેરમાં બીઆરટીએસ દ્વારા થતા અકસ્માત રોકવા તંત્ર દ્વારા સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા પરંતુ વર્તમાન સમયે સ્વીંગેટ શોભાના ગાંઠિયા બન્યા છે. જાણીને નવાઈ લાગશે પરંતુ BRTSના ટ્રેકમાં વાહનો પ્રવેશવાને કારણે છેલ્લા છ વર્ષમાં નાના મોટા ૧૫૫૧ અકસ્માત થયા છે જેમાં ૩૨ લોકોના મોત થયા છે.

