ગુજરાતમાં ઠેર ઠેરથી અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. એવામાં આણંદના એક ગામમાંથી સરપંચ તથા તલાટી દ્વારા લાખો રુપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આણંદ જિલ્લાના ઉમરેઠની સુંદલપુરા ગ્રામ પંચાયતમાં 35.67 લાખની ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. સરપંચ, તલાટી અને સરપંચના ભાઈએ મળીને ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે.

