રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજર રહેલા લોકસભા સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીના સરઘસ અંગે પહેલીવાર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પોલીસે આ મામલામાં ઉતાવળ કરી છે, પાટીદાર યુવતી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. વિપક્ષ દ્વારા આ આખા પ્રકરણને એક તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ યોગ્ય નથી. મૂળ વિષય નનામી પત્રિકાનો હતો. આ પત્રિકાની તપાસના વિષયને કોંગ્રેસે મુખ્ય બનાવી દીધો. અમરેલી SPએ આ મામલે તપાસ સમિતિ બનાવી છે અને યોગ્ય તપાસ થશે. અમરેલી ભાજપમાં જૂથવાદ અંગે પૂછતાં તેમણે કહ્યું કે મારું કોઈ જૂથ નથી.

