જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ સેનાના જવાન એલર્ટ થઇ ગયા છે. સેનાના જાવન આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.પહેલગામ આતંકી હુમલામાં સામેલ 5 આતંકીઓની ઓળખ કરવામાં આવી છે જેમાં 3 પાકિસ્તાની અને 2 કાશ્મીરી નાગરિક સામેલ છે. બાંદીપોરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ચાર ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી છે. ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરના કેટલાક જિલ્લામાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

