જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના ચેતવણી આપતા કહ્યું છે કે સરહદો સુરક્ષિત કરવાની જવાબદારી મારી છે. દેશની જેવી ઈચ્છા છે એવું થઈને રહેશે.

