પહેલગામ આતંકવાદી હુમલાને પગલે તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ સિંધુ નદી પ્રણાલીની જળસંધિ બાબતે ખાસ્સો ગરમાયો છે. ભારત જો સિંધુ નદીનું પાણી રોકી દે તો પાકિસ્તાન તરસે મરી જાય, એવી થિયરી વ્યક્ત કરનારા એ હકીકત નથી સમજતા કે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના કોઈપણ નદીનું પાણી રોકી દેવું શક્ય નથી. પાકિસ્તાનમાં વહી જતા પાણીને સંગ્રહિત કરવું હોય તો ભારતે ભાખરા નાંગલ બંધના કદ જેટલા ઓછામાં ઓછા 22 ડેમ બાંધવા પડે એમ છે.

