જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, "રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે અને પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરી છે. આ સાથે જ પુતિને ભારતને આતંકવાદ વિરૂદ્ધની લડાઇમાં ભારતનું સમર્થન કરવાની વાત કરી છે."

