Dahod news: દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના હાથને માનસિર રીતે અસ્થિર વ્યકિતએ ખંડિત કરતા ચકચાર મચી છે. જેને લઈ મોડી રાત્રે આદિવાસી સમાજે ભારે વિરોધ નોંધાવ્યો હતો. પ્રતિમા ખંડિત થવાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક રીતે તપાસ કરતા પ્રતિમાને નુકસાન કરનાર શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસનું અનુમાન છે. જેથી આદિવાસી સમાજે નવી પ્રતિમાનું અનાવરણ કરવાની માંગ કરી હતી.

