Home / Entertainment : Akshay Kumar reacts on criticism of his film

VIDEO / 'કોઈ મૂર્ખ જ હશે...’, જયા બચ્ચને 'Toilet: Ek Prem Katha' ની ટીકા કરી તો અક્ષય કુમારે આપ્યો જવાબ

બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) તેની આગામી ફિલ્મ ''Kesari Chapter 2' માટે હેડલાઈન્સમાં છે. અક્ષય ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન, અક્ષયને જયા બચ્ચનની કમેન્ટ વિશે પૂછવામાં આવ્યું જે તેમણે તાજેતરમાં અક્ષયની ફિલ્મ પર કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. ચાલો જાણીએ કે અક્ષયે આ અંગે શું કહ્યું છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અક્ષય કુમારે પ્રતિક્રિયા આપી

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે અક્ષય (Akshay Kumar) ને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, "જો તેમણે  (જયા બચ્ચન) કહ્યું છે, તો તે સાચું હશે, મને ખબર નથી. જો મેં 'Toilet: Ek Prem Katha' ફિલ્મ બનાવીને કંઈ ખોટું કર્યું હોય, તો તેઓ જ્યારે આવું કહી રહી છે ત્યારે તે સાચું જ કહી રહ્યા હશે. એટલું જ નહીં, અક્ષય એમ પણ કહી રહ્યો છે કે કોઈ મુર્ખ જ હશે, જે આવી ફિલ્મોની ટીકા કરશે.

અક્ષયે શું કહ્યું?

અક્ષયે આગળ કહ્યું કે, "મેં જે પ્રકારની ફિલ્મો બનાવી છે, જેમ કે પેડમેન, 'ટોઇલેટ: એક પ્રેમ કથા', એરલિફ્ટ અને આવી ઘણી ફિલ્મો, આ ફિલ્મોની ટીકા ફક્ત મૂર્ખ જ કરશે." હવે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

શું છે આખો મામલો?

તાજેતરમાં જ જયાએ અક્ષય (Akshay Kumar) ની ફિલ્મ વિશે કહ્યું હતું કે, "તમે તે ફિલ્મનું નામ જુઓ. શું તમે આવા નામવાળી ફિલ્મ જોવા જશો? શું આ ટાઈટલ છે? હું આવી ફિલ્મ ક્યારેય નહીં જોઉં." એટલું જ નહીં, જયાએ તો એમ પણ કહ્યું કે આ ફિલ્મ ફ્લોપ છે. હવે, અક્ષયે જયાની આ કમેન્ટ પર પોતાનું નિવેદન આપ્યું છે. તેનો વીડિયો HTcity નામના પેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

Related News

Icon