રાજ્યમાં ખનીજ માફિયાના આતંક પછી શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે.રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને બુક્સ, સ્કૂલ ડ્રેસ સહિતની સામગ્રીઓ કોઈ ચોક્કસ દુકાનો પરથી લેવા માટે દબાણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગને આ માહિતીઓ મળતા જ તેમણે નોટિસ ફટકારવામાં આવી હતી.

