Surendranagar News: સુરેન્દ્રનગરમાં અનેક બ્રિજ જર્જરિત અવસ્થમાં છે. પાટડી-જૈનાબાદ વચ્ચે આવેલો બ્રિજ ચોપડે બંધ છે પરંતુ વહાનચાલકો માટે ચાલુ છે. આ બ્રિજની કામગીરી માટે પણ તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન મોરબી તરફ જતા ટ્રેલરો પણ આ ચોપડે બંધ દેખાડતા બ્રિજ પરથી પસાર થઈ રહયા છે. તંત્રએ ટેકા માટે બોર્ડ લગાવી દીધું કે આ બ્રિજ ભારે વહાનો માટે બંધ છે પણ અમલ નથી થતો.

