Banaskantha News: બનાસકાંઠામાં વિભાજનને લઈને જિલ્લામાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. એવામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદના રાહ ખાતે પહોંચેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. શંકર ચૌધરીએ પોતાના નિવેદનમાં રાહને તાલુકા મથક બનાવવા તરફ ઇશારો કર્યો હતો.

