ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ સામેની પહેલી વનડે મેચ 4 વિકેટે જીતી લીધી હતી. બંને ટીમો વચ્ચે પહેલી મેચ ગુરુવારે (6 ફેબ્રુઆરી)ના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. જે મેચ ભારતીય ટીમે માત્ર 38.4 ઓવરમાં 4 વિકેટે જીતી લીધી હતી. આમ, ભારતીય ટીમે આ મેચ 68 બોલ બાકી રહેતા જ જીતી છે. મેચમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, હર્ષિત રાણા અને રવીન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

