ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)નો દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) IPL 2025માં પોતાની ખરાબ બેટિંગ, બેટિંગ ઓર્ડર અને મેચ ફિનિશ ન કરી શકવાના કારણે ટીકાઓથી ઘેરાયેલો છે. ધોનીને IPLમાંથી સંન્યાસ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વચ્ચે ધોનીએ પણ રિટાયરમેન્ટને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ધોનીએ કહ્યું કે, આ નિર્ણય તેનું શરીર કરશે અને તેના માટે તેની પાસે 10 મહિના બાકી છે.

