નર્મદાના એકતાનગર વિસ્તારમાં દરેક આદિવાસી સમાજના લોકો રોજગારી મેળવતા હતા. તેઓના ઝૂંપડા અને દુકાનો તોડી નાખવામાં આવ્યા હતાં. જેને લઈને ચૈતર વસાવાએ જણાવ્યું કે, ઉદ્યોગપતિના ઇશારે દબાણો તોડયા છે. મુખ્યમંત્રીને કહેવા માંગીએ છે કે, ગરીબો ઉપર મક્કમતાથી કામ લો છો. પરંતુ, હાલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને મંત્રી બચુભાઈ ખાબડ આ બંને મંત્રીઓના પુત્રોએ મનરેગા કૌભાંડ અને અન્ય કૌભાંડ માં સંડોવાયેલા છે. ત્યારે બંન્ને મંત્રીઓના મકાનો ઉપર ક્યારે બુલડોઝર ફેરવશે.

