Vadodara news: વડોદરા શહેરમાં આવેલા રાવપુરા મચ્છીપીઠમાં આજે સમી સાંજે મનપા તંત્રની બેદરકારીએ કાળઝાળ ગરમીમાં પાણીનો બગાડ થતો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં ચોમાસા વગર ભુવો પડતા તેના સમારકામ દરમિયાન જેસીબીથી કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી વગર વરસાદે પીવાના ચોખ્ખા પાણીનો રીતસરનો બગાડ થયો હતો. વડોદરા મનપાના પાપે લાખો લિટર પાણી રસ્તામાં વહી ગયું હતું.

