સુરેન્દ્રનગરમાં જુગાર તોડકાંડ મુદ્દે સેસન્સ કોર્ટ દ્વારા પી.આઈ યુવરાજસિંહ ગોહિલ તથા પોલીસકર્મી મહિપતસિંહ સોલંકીને હાજર થવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જુગાર મામલે 51 લાખનો તોડ પી.આઈ અને પોલીસકર્મીએ કર્યા હોવાનો SMCએ આરોપ મુક્યો હતો. લીંબડી DYSP વિશાલ રબારીને આ સમગ્ર બાબતની તપાસ સોંપવામાં આવી છે.

