રાજકોટ શહેરમાં ફરી એકવાર રક્તરંજિત ઘટના બની છે, જેમાં લૂંટ અને હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ભક્તિનગર વિસ્તારમાં બરકતભાઈ લાખાણી નામના પ્રૌઢની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ તેમના ગળા અને પીઠના ભાગે ઘા મારીને હત્યા કરી અને 8 સોનાની વીંટી, સોનાનો ચેન અને સોનાની લકી લૂંટી લીધી હતી.

