જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર (UN) એ બંને દેશોને 'મહત્તમ સંયમ' રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં.

