ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ અંગે, બેરુતમાં ભારતીય દૂતાવાસે બુધવારે લેબનોનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી છે અને બેરુતમાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે, 'આ ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને તરત જ દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.જ્યાં સુધી આગળની સૂચના ન મળે ત્યાં સુધી લેબનોનનો પ્રવાસ ન કરવો.

