બાંગ્લાદેશમાં હિંદુઓ અને ઈસ્કોનના પૂજારીઓ સામે વધી રહેલી હિંસાને જોતા ઈસ્કોન કોલકાતાએ હિન્દુઓ અને પૂજારીઓને તેમની ઓળખ છુપાવવાની સલાહ આપી છે. ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે લોકોને સલાહ આપી છે કે હિન્દુઓએ ઘરમાં અને મંદિરોમાં જ પૂજા કરવી જોઈએ અને જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે તેમની ઓળખ છુપાવવી જોઈએ.

