ક્યારેય ધૂમ્રપાન ન કર્યું હોય તેવા લોકોમાં પણ ફેફસાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ કદાચ હવાનું પ્રદૂષણ છે. એક નવા અભ્યાસમાં આ બાબત સામે આવી છે. આ અભ્યાસ મંગળવારે વર્લ્ડ કેન્સર ડે પર 'ધ લેન્સેટ રેસ્પિરેટરી મેડિસિન જર્નલ'માં પ્રકાશિત થયો હતો.

