ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષ-2025-26થી ધોરણ 1, 6થી 8 અને ધોરણ 12માં પાઠ્યાપુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો અભ્યાસ ક્રમમાં લેવાના રહેશે. તેના માટે કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાશે. જેમાં સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો બદલાશે.

