સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિમાણને લઈ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 2018માં ચૂંટણી યોજાઈ હતી તે સમયે કોંગ્રેસના 78 ધારાસભ્યો હતા તે સમયે વાતાવરણ સારું હતું. અત્યારે 12 ધારાસભ્યો સાથે જે પરિમાણ આવ્યા છે તે નિરાશાજનક નથી. 2018ની સરખામણીમાં અત્યારે શીટમાં વધારો થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં 2018માં એક કોર્પોરેટર હતા જ્યારે હાલમાં 11 કોર્પોર્ટેટરની જીત થઈ છે. જૂનાગઢ વાસીઓએ પ્રેમ આપ્યો તે માટે આભાર માનું છું.

