Surendranagar news: સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આજે રેલવે પ્લેટફોર્મ પર માલગાડીના બે વેગન રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી ગયા હતા. જેથી રેલવે ટ્રેક પરથી જતી-આવતી ટ્રેનો અને અન્ય ગુડ્ઝ ટ્રેનોને અસર થઈ હતી. બે વેગન પાટા પરથી ઉતરી જતા રેલવે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જેના લીધે કલાકો સુધી માલવાહક ટ્રેનો રોકવાની નોબત આવી હતી. જો કે, આના લીધે કોઈ જાનહાનિ કે મોટો અકસ્માત થતા અટકી ગયો હતો.

