શ્રી સદ્કાર્ય સેવા સમાજનું ધાબળા વિતરણ

શહેરમાં ઠંડીના વધતા ચમકારાને ધ્યાનમાં રાખી, શ્રી સદ્કાર્ય સેવા સમાજ દ્વારા એક હ્રદયસ્પર્શી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના સભ્યો દ્વારા આશરે 800થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા પ્રવૃત્તિ માત્ર એક દિવસની નહીં, પરંતુ સમાજ દ્વારા વર્ષોથી અવિરત રીતે અનેક લોકહિતના કાર્યો કરવામાં આવે છે. જરૂરિયાતમંદોની મદદ કરવી અને સમાજમાં સહાનુભૂતિનો સંદેશ ફેલાવવો એ સમાજનો મુખ્ય ઉદ્દેશ છે. આવા કાર્યોથી સમાજમાં માનવતા અને એકતાનું સંવર્ધન થાય છે. શ્રી સદ્કાર્ય સેવા સમાજના તમામ સભ્યોને આ ઉમદા કાર્ય માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
દિપક શાહ
દિપક શાહ
દિપક શાહ
Next Story Arrow GIF