કેતુની ચાલ બદલવાથી આ રાશિના લોકો કરશે પ્રગતિ Source : Google
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વર્ષ 2026ને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે જાન્યુઆરીના અંતિમ દિવસોમાં કેતુ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. Source : Google
જ્યોતિષશાસ્ત્રમાં કેતુને રહસ્યમયી શક્તિઓ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે, જે જીવન પર અચાનક અને ઊંડો પ્રભાવ પાડે છે. Source : Google
જાન્યુઆરી 2026માં કેતુની સ્થિતિમાં થનારું આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ભાગ્યના નવા દ્વાર ખોલી શકે છે. Source : Google
આ ગોચરના કારણે ત્રણ રાશિઓના જીવનમાં કરિયર, ધન અને માનસિક સ્થિરતા સાથે સબંધિત મોટા સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. ચાલો જોઈએ કે આ પરિવર્તનથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે. Source : Google
જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ અને સાઉથ નોડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો પ્રભાવ ઘણીવાર અણધાર્યો હોય છે અને તે વ્યક્તિના જીવનમાં ઊંડુ પરિવર્તન લાવી શકે છે. Source : Google
દ્રિક પંચાંગ પ્રમાણે 25 જાન્યુઆરી, 2026ના રોજ કેતુ પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બીજા તબક્કામાંથી નીકળીને પ્રથમ તબક્કામાં પ્રવેશ કરશે. Source : Google
આ તબક્કામાં કેતુને પ્રમાણમાં સંતુલિત અને શુભ માનવામાં આવે છે, જેના કારણે તેના સકારાત્મક પરિણામોમાં વધારો થાય છે. Source : Google
મેષ રાશિના જાતકો માટે કેતુનું આ નક્ષત્ર પરિવર્તન સૌભાગ્ય લઈને આવી શકે છે. કાર્યક્ષેત્રમાં અચાનક પ્રગતિ અથવા નવી જવાબદારીઓ મળવાના સંકેત છે. Source : Google
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર આર્થિક રીતે અનુકૂળ રહેશે. અચાનક ધન પ્રાપ્તિ અથવા આવકના નવા સ્ત્રોત બનવાના યોગ છે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો ઊભી થઈ શકે છે. Source : Google
ધન રાશિના જાતકો પર કેતુનો પ્રભાવ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. લાંબા સમયથી અટકેલા કામ હવે પૂરા થઈ શકે છે. Source : Google