આણંદ જિલ્લામાં ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાની માંગ ઉઠી છે. NCPના પ્રદેશ પ્રમુખ અને ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કીએ આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ખાસ કરીને ઉમરેઠ અને આંકલાવ પંથકમાં ખનીજ ચોરીની વધતી ઘટનાઓ પર રોક લગાવવાની માંગ કરી છે.

