PM નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલા બાદ તેનો સાઉદી પ્રવાસ રદ કરીને પરત ફર્યા હતા. જ્યારે આગામી 9 મેના રોજ તેઓ રશિયાના પ્રવાસે જવાના હતા. તંગ વાતાવરણ વચ્ચે પીએમ મોદીએ તેમની આગામી રશિયા મુલાકાત રદ કરી છે. તેઓ હવે 9 મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિજય પરેડમાં હાજરી આપશે નહીં. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે આ માહિતી આપી.

